Wednesday, March 26, 2008

‘બિટવીન ધી લાઈન્સ’

આ સ્થિતિમાં હવે આપણે ક્યાં જઈશું ?
લેખક: કુલદીપ નાયર

હું ઇચ્છું છું કે, મારી પાસે એક જવાબ હોય એક એવા પ્રશ્નનો કે, જેને હું સરબજીત સિંહ સમસ્યા કહું છું. તે પાકિસ્તામાં ફાંસીની પ્રતીક્ષા કરી રહ્યો છે. પ્રચાર, પ્રસાર માધ્યમોએ ફરી એક વખત આ પ્રશ્નને એ રીતે ઉછાળ્યો છે કે, તેને દેશની આબરૃ સાથે જોડી દેવાયો છે. જો ભારત ને પાકિસ્તાન વચ્ચે હમેશાં આવું જ ચાલતું આવ્યું છે. પરસ્પર વાતચીતને બદલે તેઓ એકબીજા સાથે વાત કરે છે. ૬૦ વર્ષ થયા પરસ્પરની લાગણીના અંતરને- વેર શબ્દ થોડોક કટુ કહેવાશે. જો કે બંને પરસ્પર જોડાયેલ છે. બંને એકબીજા પ્રત્યે અંતર રાખે છે, બિનજવાબદારીપૂર્વક વર્તે છે અને તે પણ ૧૯૪૭ના ઑગસ્ટમાં આઝાદ થયા ત્યારથી.
સરબજીત સિંહની સમસ્યા લક્ષણ છે, બીમારી નથી. બીમારી અવિશ્વાસની, પક્ષપાતની છે, પરસ્પરની નફરતની છે. આજે ભલે સરબજીત સિંહની સમસ્યાનો ઉકેલ લાવો અને આવતી કાલે આવી જ સમસ્યા ફરી ઊભી થશે. બંને દેશો પાડોશી છે. બંને પોતપોતાની ભૂગોળ કે ઇતિહાસને મદદ કરી શકે તેમ નથી. બંનેએ એકબીજા કેમ અલગ રહ Continue >
વું તેવા હિત ધરાવનારા પેદા કર્યા છે. ત્રણ યુદ્ધ બાદ પણ, કારગિલ બાદ પણ બંને પોતપોતાના પ્રશ્નો ઉકેલી નથી શકતા. શાંતિથી કેમ રહેવું તે શીખી નથી શક્યા. કાશ્મીરસિંહને છોડવામાં પાકિસ્તાને ઉદાર વલણ દાખવ્યું તે સારું થયું. જો કે હું હજુ એ નથી સમજી શક્યો કે, તેણે પ્રેસમાં પોતાની સિદ્ધિઓ ગણાવવાની શી જરૃર હતી. અનાજના ફોતરાં કાઢવા મુશ્કેલ છે, પણ મેં થોડુંક વિચાર્યું છે. તેણે પાકિસ્તાનમાં કેટલાક લોકોની બહુ દુઆ મેળવી છે અને તેને સરબજીત સિંહ સાથે સાંકળી લીધો છે. પરિણામે જે લોકો છોડવાના પ્રયત્ન કરતા હતા તેમને વિપરીત અસર થઈ છે.
જાસૂસ હોવું એ ગર્વનો વિષય નથી. જાસૂસો ક્યારેય સરકારનું જ્ઞાાન નથી વધારતા. તેઓ ફક્ત અહેવાલની પુષ્ટિ કરે છે. બંને દેશોના દૂતાવાસો, બાકી વિશ્વનાની જેમ દરેક સ્થળે પોતપોતાના જાસૂસ રાખતા હોય છે. કાઉન્સિલર્સ કે એટેચી જેવા હોદ્દા હોય છે પછી આવા જાસૂસોની જરૃર નથી. આજે જ્યારે ઉપગ્રહો અને અન્ય આવા અદ્યતન સાધનો કે ઉપકરણો છે ત્યારે ખરેખર જાસૂસી આ રીતે કરવાની જરૃર જ નથી. કારણ કે અદ્યતન ટેક્નોલોજીથી સૈનિકના બિલ્લા પર રેજીમેન્ટ સહિત બધું જ સ્પષ્ટ વાંચી શકાય અને તે પણ માઈલો દૂરથી તેવી સવલત છે.
હું વિચારું છું કે, ભારતનો દોષ એટલો કે, પંજાબમાં મોહાલીમાં મેચ જોવા આવેલો ખાલિદ મહમૂદનું મૃત્યુ થયું. તેનો મૃતદેહ પાકિસ્તાન મોકલવામાં પણ આવ્યો. માનવીય ધોરણે અને મૃત્યુની આમન્યા જાળવવા આવું કરવું જ રહ્યું. મૃતકનો દેહ આદરને પાત્ર હોય અને તે આદરથી સુપરત કરવો જોઈએ. મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ તે બીજો દોષ છે. તે નાસતો ફરતો હતો. પોલીસે પકડયો અને કસ્ટડીમાં મૃત્યુ પામ્યો.
આશ્ચર્યની વાત એ છે કે, તેનું મૃત્યુ પોલીસના અત્યાચારથી થયું. જો સાચું હોય તો ભારતના માનવીય અધિકાર સંગઠનોએ એક શબ્દ પણ કેમ ન ઉચ્ચાર્યો. પાકિસ્તાનમાં શંકાનાં વાદળો ઘેરાયાં, પણ ભારતમાં નહીં. સરકારે તપાસપંચ નીમવું જોઈએ. કાયદાની આ માંગ છે.
તેમ છતાં ખાલિદ મહમૂદનું મૃત્યુ તે સરબજીત સિંહ સાથે સાંકળવું ન જોઈએ. આપણે લાગણી સમજી શકીએ. સરબજીત સિંહને ફાંસી તેમની રીતે નિર્ણય યોગ્ય હશે, પણ આ તો જૈસે કો મિલા તૈસા જેવો ઘાટ થયો કહેવાય. બદલાની ભાવના આવી બાબતોમાં ન હોય.
મને સરબજીત સિંહની વિગતની જાણ નથી, પણ તેને ફાંસી આપવી વધુ પડતું કહેવાય. હું મૃત્યુદંડ વિરુદ્ધ છું. ૧૩૦ દેશોએ આ સજા રદ કરી છે. ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં આ સજા યથાવત્ છે. સભ્ય દેશોની જમાતમાં તેમણે ભળી જવું જોઈએ. ભાજપના વડા રાજનાથસિંહના ભાષણમાં મને પાખંડનાં દર્શન થયાં. તેમણે સરબજીત સિંહને શા માટે ફાંસી આપવી તે અંગે વિગતવાર વાત કરી, પણ તે જ વખતે તેમણે સંસદ પરના હુમલાના આરોપી અફઝલ ગુરુને તત્કાળ ફાંસી આપવાની માગણી કરી. સરકારને આડે હાથે લીધી. આ રીતે તે સમગ્ર બાબતને રાજકીય રીતે રંગી નાખી.
હવે આ કિસ્સાનેરાજકારણને બદલે બંને દેશોના સંબંધ સુધારણાની દિશામાં મૂલવવો જોઈએ. માનવી દૃષ્ટિકોણ જરૃરી છે. કાયદેસર રીતે પાકિસ્તાન જે કહે છે તે સાચું છે. સુપ્રીમ કોર્ટે સજા કરી એટલે બાબત પૂરી થઈ કહેવાય. શું દયાની દૃષ્ટિ અપનાવાય તો ખરેખર આ બાબત અહીં પૂરી થશે ? હિઝબુલના સલાઉદ્દીનના ઇન્ટરવ્યૂ બાદ કે જેમાં તેમણે જણાવેલ કે, પાકિસ્તાન તેને અને અન્ય ઉગ્રવાદીઓને રાજદ્વારી રીતે મદદ કરે છે નૈતિક રીતે અને લશ્કરી રીતે. એ વિગતો મળ્યા બાદ કહી શકાય કે, પાકિસ્તાનમાં નૈતિકતા બહુ ઊંચી નથી. આ ઇન્ટરવ્યૂના ભારતમાં પણ પડઘા પડયા છે. સંબંધો તંગ બને તે પહેલાં ઉદાર વલણ જરૃરી છે.
હું એક વાત જાણું છું કે, આવા કેસો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિશે કહે છે. સરબજીત સિંહના કેસમાં ભારતે પાકિસ્તાનને વિનંતી કરી છે. સંસદે પણ સર્વાનુમતે ટેકો આપ્યો છે. વિદેશ રાજ્ય પ્રધાન આનંદ શર્માએ જણાવ્યું હતું કે, સરબજીત સિંહ વિશે આપણે લોકલાગણી પહોંચાડી છે. આશા છે કે, પ્રતિભાવ અનુકૂળ હશે. તેમણે એમ પણ કહ્યું કે, જે કેદીઓએ સજા પૂરી કરી છે તેમને પણ છોડાશે. બંને દેશોના સંબંધો લોકો દ્વારા જ ગાઢ થાય છે. સરબજીત સિંહ જેવો એક કેસ બધું જ ધોઈ નાખે છે. હવે નવી સરકાર આવી છે. આશા રાખીએ કે, તે બંને દેશો વચ્ચે નવો અધ્યાય શરૃ કરે અને તે પણ સરબજીત સિંહના પ્રકરણથી.

No comments: