Monday, March 31, 2008

પાંચ વર્ષમાં ગુજરાતનો ત્રણ ગણો વિકાસ થશે : કલામ

એફજીઆઈના એવોર્ડ સમારંભમાં પૂર્વ રાષ્ટ્રપતિનું ઉદ્બોધન
પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામે રવિવારે એફજીઆઈના વાર્ષિક ફંકશનમાં એવોર્ડ એનાયત કરવા માટે યોજાયેલા સમારંભમાં ગુજરાતના વિકાસની રૂપરેખા આપતાં ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે ગુજરાતના હાલના વિકાસના ગ્રાફને નજરમાં રાખીને એવો પણ આશાવાદ વ્યકત કર્યોહતો કે આગામી પાંચ વર્ષમાં જૉ આજ ગતિએ વિકાસ ચાલુ રહેશે તો ગુજરાતમાં ઔધોગિક ઉત્પાદન ત્રણ ગણું વધી જશે.
વડોદરાના ચંચી મહેતા ઓડીટોરિયમ ખાતે યોજાયેલા ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝના વાર્ષિક એવોર્ડ ફોર એકસલન્સ સમારંભમાં ડૉ. અબ્દુલ કલામે ખાસ હાજરી આપી વિકાસની રૂપરેખા દોરી હતી. તેમણે પોતાના બહુ ચર્ચિત ૨૦-૨૦ વિઝનની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે આ દર્શન હેઠળ ગ્રામ્ય અને શહેરી વિકાસ વરચેનું અંતર ઘટશે.
દરેક તેજસ્વી વિધાર્થી ઉરચ શિક્ષણની તક પ્રાપ્ત કરી શકશે. ઉપરાંત લોકો ભયમુકત બને અને દેશ આતંકવાદ મુકત બને તેવી અભિલાષા વ્યકત કરતાં તેમણે ગૌરવશાળી અને અનુકરણીય નેતૃત્વને દેશનું સુકાન સોંપવા લોકોને અપીલ કરી હતી. ‘ગુજરાતમાં ૫૧ જેટલા ‘સેઝ’ ની મંજૂરી અપાવાથી કેટલાક સ્તરે ગભરાટ ફેલાઈ રહ્યો છે પરંતું મારી ¼ષ્ટિએ એ અનાવશ્યક છે.’એમ જણાવતા ડો. કલામે ઉમેર્યુ હતું કે સેઝના માઘ્યમથી પણ વેલ્યુ એડેડ જૉબનુ નિર્માણ થઈ શકે અને તેમાં ખડુતોને પણ શામેલ કરી શકાય એવા સેઝ આદર્શ બની શકે.
૧૧મી પંચવર્ષીય યોજનામાં ગુજરાતના વૈચારિક આયોજનથી ગુજરાતમાં માથાદીઠ આવકમાં વધારો થાય તેવી આશા વ્યકત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૂડી રોકાણ કારોને આકર્ષવા માટે ગુજરાતની ક્ષમતાનો વિશેષ ઉપયોગ થઈ શકે. ખાસ કરીને સેઝની સ્થાપનાથી ગુજરાતના વિકાસને નવો વેગ મળશે રોજગારીની તકો વધશે તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો. આ સાથે તેમણે ઔધોગિક ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવાની રાજય સરકારની નિતીને તેમણે સરાહી હતી.
ભ્રષ્ટાચાર દૂર કરવો છે?: પોતાનાથી જ શરૂ કરો : ડો. કલામ
આજે વડોદરા આવેલાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે દેશની મુખ્ય સમસ્યા પૈકીની એક એવા ભ્રષ્ટાચારના ભોરીંગને નાથવાના રામબાણ ઈલાજ તરફ અંગૂલી નિર્દેશ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર દૂર થાય તેવું સહુ કોઈ ઈરછે છે પણ તેને દૂર કરવાની શરૂઆત જયાં સુધી પોતાના ઘર આંગણાંથી કરવામાં નહિ આવે ત્યાં સુધી તેને નિર્મૂળ કરવો શકય નથી.
આજના બાળકને ગળથૂથીમાંથી જ ભ્રષ્ટાચાર વિરોધી વાતાવરણ મળે તે આપણે જૉવાની જરૂર છે. જૉ તેમ થાય તો જ આગામી પેઢી ભ્રષ્ટાચારથી ખરડાતી અટકી શકે અને તેવી રીતે ભ્રષ્ટાચાર મુકત ભારતનું નિર્માણ થઈ શકે.

No comments: